મહારાષ્ટ્ર સરકારે બુધવારે એલપીજીની અછત અને પુરવઠાને સુવ્યવસ્થિત કરવાની જરૂરિયાતને ટાંકીને જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) હેઠળ કેરોસીન વિતરણ માટે કમિશન અને પરિવહન દર બંનેમાં સુધારો કર્યો છે. એલપીજીની વ્યાપક ઉપલબ્ધતા અને એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતા ઘરોને પુરવઠો મર્યાદિત કરવાના કોર્ટના નિર્દેશોને કારણે રાજ્યમાં કેરોસીન વિતરણ તાજેતરના વર્ષોમાં મર્યાદિત હતું, એમ ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા જારી કરાયેલા સરકારી ઠરાવો (જીઆર) માં જણાવાયું છે.
પરંતુ વર્તમાન એલપીજીની અછત (પશ્ર્ચિમ એશિયામાં યુદ્ધને કારણે) ને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે વૈકલ્પિક ઇંધણ તરીકે મહારાષ્ટ્રને 3,744 કિલોલિટર કેરોસીન ફાળવ્યું છે. કેરોસીનના વિતરણને સરળ બનાવવા માટે, રાજ્ય સરકારે પરિવહન દરો તેમજ કમિશનમાં સુધારાને મંજૂરી આપી છે. જથ્થાબંધ કેરોસીન લાઇસન્સ ધારકોને તાપમાનમાં ફેરફાર અને હેન્ડલિંગને કારણે થતા નુકસાનને આવરી લેવા માટે એક્સ-ડેપો ભાવના 0.25 ટકા વધારાનું ભથ્થું મળશે.

વધુમાં, ડીઝલ ખર્ચ સિવાય પરિવહન સંબંધિત ખર્ચમાં 40 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.જિલ્લા કલેક્ટરો અને નાગરિક પુરવઠા અધિકારીઓને ડીઝલના ભાવોના આધારે વાર્ષિક સુધારેલા પરિવહન દર નક્કી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. સરકારે કેરોસીન વિતરણમાં સામેલ ડીલરો માટે કમિશન 675 રૂપિયાથી વધારીને 1,350 રૂપિયા પ્રતિ કિલોલીટર કર્યું છે.
બંને નિર્ણયો 1 એપ્રિલ, 2026થી અમલમાં આવ્યા હતા અને તેનો હેતુ ચાલુ એલપીજી પુરવઠા મર્યાદાઓ દરમિયાન લાભાર્થીઓને અછતનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાનો હતો, એમ જીઆરમાં જણાવવામાં આવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
