થાણેમાં રખડતાં કૂતરા અને બિલાડીઓની સંખ્યામાં વધારો થવાથી લોકો પરેશાન છે. ઘણી વખત ફરિયાદ કરવા છતાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) આ પ્રાણીઓને નિયંત્રિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે TMC પાસે રખડતાં પ્રાણીઓને પકડવા માટે અલગ ટીમ જ નથી. અંતે ગયા. અઠવાડિયે TMCએ આ સમસ્યાના ઉકેલ માટે પ્રાણીમિત્ર સંસ્થાની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે જેના માટે વાર્ષિક ૨.૩૩ કરોડ રૂપિયા ખર્ચ થવાની પારણા છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા મુજબ થાણેમાં પર,૦૦૦ રખડતા કૂતરા અને બિલાડીઓ હોવાની શક્યતા છે.

TMCના પશુચિકિત્સા વિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘રખડતાં પ્રાણીઓને નિયંત્રિત કરવા અને હડકવા રસીકરણ, નસબંધી વગેરે સેવાઓ પ્રાઈવેટ સંસ્થા પાસેથી લેવાનો નિર્ણય આ વર્ષની શરૂઆતમાં લેવામાં આવ્યો હતો. જોકે પ્રતિભાવના અભાવે નવા કરારના આધારે કામ આપવાનો નિર્ણપ લેવામાં આવ્યો છે. આ દરખાસ્તને તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે. આ માટે પાંચ વર્ષમાં અંદાજે ૧૨.૧૬ કરોડ રૂપિયાની ખર્ચ થવાની પારણા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
