વડાલા-ઘાટકોપર-કાસારવડવલી મેટ્રો-૪ લાઇનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. માજીવાડા મેટ્રો સ્ટેશનનું નિર્માણ કાર્ય 28 મેથી પહેલી જૂન દરમિયાન કરવામાં આવશે. પરિણામે વિવિયાના મોલ નજીકનો ફ્લાયઓવર આ કામ માટે મધ્યરાત્રિએ ટ્રાફિક માટે બંધ કરવામાં આવશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) વડાલા-ઘાટકોપર-કાસરવડવલી ફોર-લાઇનના બાંધકામ પર કામ કરી રહી છે. આ કામના ભાગરૂપે વિવિયાના મોલ પાસે માજીવાડા સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે.

અહીં છતના બાંધકામ સહિત વિવિધ કામ ચાલી હ્યા છે. 60 ટનની ક્રેનની મદદથી આ કામ કરવામાં આવશે. ફ્લાયઓવર પર ક્રેન લગાવવામાં આવશે. આથી મુંબઈથી માજીવાડા ફ્લાયઓવરથી નાશિક કે ઘોડબંદર તરફ જતા તમામ વાહનોને ફ્લાયઓવર પર આવનજાવન કરવા પર પ્રતિબંધ રહેશે.
