ઘણા ઘરોમાં આજે પણ રોજના વપરાશ માટે જૂના ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. જૂના ચોખા ખાવા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. આજે તમને પણ જણાવીએ જૂના ચોખા ખાવાના આ ફાયદા.
નવા ચોખામાં ચમક અને સુગંધ સારી આવે છે. પરંતુ સ્વાસ્થ્યની વાત આવે તો જૂના ચોખા જ શરીર માટે બેસ્ટ ગણાય છે. આયુર્વેદમાં પણ જૂના ચોખાને હેલ્થ માટે સારા ગણાવેલા છે. ભારત સરકારના આયુષ મંત્રાલયે પણ જૂના ચોખાનું મહત્વ દર્શાવ્યું છે.
આયુર્વેદ અનુસાર ચોખા ઓછામાં ઓછા 1 વર્ષ જૂના હોય તો જ ખાવાની સલાહ આપવામાં આવે છે. 1 વર્ષ જૂના ચોખા જ ખાવાના ઉપયોગમાં લેવા જોઈએ. તેનું કારણ ફક્ત સ્વાદ નથી. જૂના ચોખા ખાવા શરીર માટે પણ લાભકારી છે.

આયુર્વેદ અનુસાર 1 વર્ષ સુધી સારી રીતે સ્ટોર કરેલા ચોખા ખાવા શરીર માટે લાભકારી છે. જૂના ચોખામાં ભેજની માત્રા ઓછી થઈ જાય છે. જેના કારણે જૂના ચોખા પચવામાં સરળ હોય છે. જૂના ચોખા ખાધા પછી તમને પેટ ભારે નહીં લાગે. નવા ચોખામાં ભેજ અને સ્ટાર્ચ વધારે હોય છે. જેના કારણે ભાત ખાધા પછી પેટ ભારે લાગે છે અને સાથે જ ગેસ, અપચો જેવી ફરિયાદો રહે છે. ચોખા જેમ જુના થાય તેમ લાઈટ અને પચવામાં સરળ થઈ જાય છે.
જૂના ચોખાનો બીજો ફાયદો એ છે કે જૂના ચોખા ઓછા સમયમાં સારી રીતે કુક થઈ જાય છે. તેના દાણા એકબીજાથી ચીપકતા નથી. દાણા એકદમ છુટ્ટા થાય છે. જૂના ચોખા કોઈપણ રીત યુઝ કરો તેનો સ્વાદ વધી જાય છે. જૂના ચોખાને આયુર્વેદમાં લઘુ અને ચિકણા કહેવામાં આવે છે એટલે કે ચોખા વાત-પિત્ત દોષને સંતુલિત કરે છે.
જૂના ચોખા પેટની સમસ્યા માટે પણ લાભકારી છે. ઉનાળા અને ચોમાસામાં જૂના ચોખા ખાધા હોય તો પાચન ખરાબ થતું નથી જ્યારે નવા ચોખા ખાવાથી પેટ ભારે થઈ શકે છે. જો કે જે લોકોને ડાયાબિટીસ સહિતની સમસ્યા હોય તેમણે જૂના ચોખાનું સેવન પણ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
