September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

હું કોઈને છંછેડતો નથી અને મને કોઈ છંછેડે તો તેને છોડતો નથી

શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખ દ્વારા ગંભીર આરોપ બાદ રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ચેતવણી આપતાં જણાવ્યું કે હું કોઈને છંછેડતો નથી અને કોઈ મને છંછેડે તો તેમને છોડતો નથી. તેમણે એવો પણ ધડાકો કર્યો કે દેશમુખની પાર્ટીના નેતાઓએ જ તેમની વિરુદ્ધ મને પુરાવા આપ્યા હતા. દેશમુખ હાલમાં જામીન પર બહાર છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, દેશમુખે અગાઉ પણ મારી પર આરોપ કર્યા હતા. હું આ વિશે પહેલાં કશું બોલ્યો નથી. હું આ પ્રકારની રાજનીતિ ક્યારેય કરતો નથી. હું કોઈને છંછેડતો નથી અને કોઈ મને છંછેડે તો હું તેને છોડતો નથી. મારે દેશમુખને એક વાત કહેવાની છે, તેમની જ પાર્ટીના કેટલાક નેતાઓએ મને કેટલાક ઓડિયો વિઝ્યુઅલ આપ્યા છે. તે દર્શાવે છે કે, દેશમુખ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, સચિન વાઝે વિશે શું કહે છે. જો કોઈ મારી પર રોજ આરોપ લગાવે તો હું શાંત બેસીશ નહીં. મારા પણ કેટલીક વાતો જાહેર કરવી પડશે. હું પુરાવા વગર કશું બોલતો નથી, એવો ઈશારો તેમણે આપ્યો હતો.

ફડણવીસે કહ્યું કે, દેશમુખ પરના આરોપો બાદ રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર હતી. તે કેસમાં મુંબઈ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ દેશમુખ જેલમાં ગયા હતા. હાલમાં તેઓ જામીન પર બહાર છે.

ફડણવીસે કહ્યું કે સીબીઆઈ દ્વારા હવે જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, તેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગિરીશ મહાજન પર મકોકા લાગુ કરવા દેશમુખ દ્વારા એસપી પર દબાણ કરવામાં આવ્યું હતું. અમે ઓડિયો વિઝ્યુઅલ પુરાવા આપ્યા હતા કે મહાજન સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. સીબીઆઈ દ્વારા કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ દર્શાવે છે કે મહાવિકાસ આઘાડી સરકારે કેવી રીતે વિપક્ષના વિધાનસભ્યોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

શ્યામ માનવે સોપારી લીધી છે?

દરમિયાન દેશમુખના આરોપને સમર્થન આપનારા અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ શ્યામ માનવ વિશે ફડણવીસે કહ્યું કે શ્યામ માનવ મને વર્ષોથી ઓળખે છે, તેમણે મારી પર આરોપ કરવા પૂર્વે મને એક વાર પૂછવું જોઈતું હતું. દેશમુખના સમયમાં ઘણી સોપારીબાજો ફૂટી નીકળ્યા છે. તેમનું કામ આરોપ લગાવવાનું છે. શ્યામ માનવ આ સોપારીબાજોના પ્રભાવમાં આવી ગયા કે કેમ તે તપાસવું પડશે, એમ તેમણે જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us