ભારતીય ઘરમાં દરરોજ અનેક વાર તેલનો ઉપયોગ થાય છે, જેમાં સૌથી વધારે તો તળેલી વસ્તુ બનાવવામાં અને શાક બનાવવામાં ત્યારે, ખાવાના તેલની પસંદગી કરવી ખુબ જ જરૂરી છે. કારણ કે આ ઓઈલ આપડા શરીરને પોષક તત્વો આપે છે.
ખાવામાં તેલનો ઉપયોગ આપણી તબિયત પણ સીધો પ્રભાવ પાડે છે. એક્સપર્ટનું કહેવું છે કે તેલનો ઉપયોગ સમજી-વિચારીને અને જરૂરતી માત્રામાં કરવો જોઈએ, ખાસ કરીને ભારતના જમવામાં જ્યા રોજ દાળ અને શાક બને છે. જ્યારે શાક બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું તેલ સ્વાસ્થની દ્રષ્ટ્રીએ ખુબ જ મહત્વપૂર્ણ હોય છે.
શાક બનાવવા માટે સૌથી સારૂ તેલ

એક્સપર્ટના જણાવ્યા અનુસાર, શાક બનાવવામ માટે કાચી ઘાણીનું તેલ સૌથી સારૂ માનવામાં આવે છે. તેમાં વિશેષ રૂપે સરસવનું તેલ સૌથી વધારે લોકપ્રિય છે, જે રોજનું શાક બનાવવા માટે સુરક્ષીત અને પૌષ્ટ્રીક વિકલ્પ છે. પીળી અને કાળી બન્ને પ્રકારની સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત મગફળીનું તેલ પણ એક સારો વિકલ્પ છે. શિયાળામાં તલનું તેલનો ઉપયોગ કરી શકાય છે. સાથે નાળિયર તેલનો ઉપયોગ પણ શાક બનાવવા માટે કરી શકાય છે, ખાસ કરીને જ્યારે જમવાનું હાઈ ટેમ્પ્રેચર પર બનાવવાનું હોય ત્યારે.
ડીપ ફ્રાય માટે પણ સારૂ
સરસવના તેલમાં મોનોસૈચુરેટેડ ફૈટી એસિડ વધારે હોય છે, જે શરીરમાં ખરાબ કોલસ્ટ્રોલને ઘટાડવા અને સારા કોલસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. એટલા માટે તે હાર્ટ એટેકથી બચાવી શકે છે. સરસવના તેલમાં સ્મોક પ્વાઈંટ પણ હાઈ હોય છે, જેનાથી આ હાઈ ફ્લેમ પર રાંધવા માટે જરૂરી છે.

તેમાં એન્ટીબૈક્ટિરિયલ એને ઈન્ફ્લેમેટરી ગુણ મળે છે. જે સ્વાસ્થ માટે લાભદાયક છે. આ સિવાય સરસવના તેલમાં બનેલું શાક સ્વાદમાં સારૂ અને અલગ હોય છે. આ ડીપ ફ્રાય માટે પણ સારૂ છે. આ સિવાય સરસવ તેલનો ઉપયોગ વાળમાં લગાવવા અને માલિશ કરવા માટે પણ કરવામાં આવે છે.
કાચી ઘાણીનું તેલ એક સારો અને સ્વાસ્થ વિકલ્પ
સ્વાસ્થ પ્રમાણે જમવામાં સારા પ્રકારના તેલને પસંદ કરવું જરૂરી છે. એક્સપર્ટની સલાહ છે કે તેલને બદલતું રહેવું જોઈએ અને કાચી ઘાણીનું તેલ એક સારૂ અને સ્વાસ્થ વિકલ્પ છે.

For more details… Contact 9322529232 / 9324483455
