નાળિયેર પાણી હેલ્ધી છે પરંતુ જેમને ડાયાબિટીસ હોય તેમના મનમાં પ્રશ્ન હોય છે કે નાળિયેર પાણી પીવું કે નહીં. તો ચાલો આ અંગે આયુર્વેદમાં શું કહેવાયું છે જાણી લઈએ.
નાળિયેર પાણી પ્રકૃતિનો સૌથી મોટો ઉપહાર છે. આયુર્વેદમાં નાળિયેર પાણીને ઔષધી માનવામાં આવે છે. લીલા નાળિયેરની અંદરથી જે પારદર્શક અને મીઠો તરલ પદાર્થ નીકળે છે તે સ્વાદિષ્ટ હોય છે શરીરને તાજગી આપે છે અને સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. નાળિયેર પાણી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પચવામાં હળવું અને ઓછી કેલેરી વાળું પીણું છે. નાળિયેર પાણીમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે.
આજ કારણ છે કે દર્દીઓ માટે નાળિયેર પાણીને અમૃત માનવામાં આવે છે. જ્યારે તાવ, ઉલટી કે ઝાડા જેવી સમસ્યા થાય તો શરીરમાં પાણી અને ખનીજની ઉણપ સર્જાય છે તેવામાં નાળિયેર પાણી પીવાથી શરીરને તુરંત એનર્જી મળે છે અને ડિહાઈડ્રેશન દૂર થાય છે નાળિયેર પાણી પાચનતંત્રને પણ ઠીક કરે છે અને શરીરને ઠંડક પહોંચાડે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ નાળિયેર પાણી સુરક્ષિત પીણું છે. કારણકે નાળિયેર પાણીમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે. નાળિયેર પાણી પીવાથી અચાનક બ્લડ સુગર વધતું નથી. હાર્ટ પેશન્ટ માટે પણ નાળિયેર પાણી લાભકારી છે કારણ કે તે કોલેસ્ટ્રોલ ફ્રી છે અને હૃદયના ધબકારાને સંતુલિત રાખે છે. નાળિયેરમાં પોટેશિયમ વધારે હોય છે જે બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. નાળિયેર પાણી લીવરને પણ સાફ કરે છે અને એનર્જી ઉત્પાદનની પ્રક્રિયાને મજબૂત બનાવે છે.
જે લોકોને એસીડીટી, ગેસ કે છાતીમાં બળતરાની ફરિયાદ રહેતી હોય તેમના માટે પણ નારિયેળ પાણી ફાયદાકારક છે. તેનાથી પેટને ઠંડક મળે છે અને પિત્ત સંતુલિત થાય છે. ત્વચા સંબંધિત રોગમાં પણ નાળિયેર પાણી ફાયદો કરે છે. નાળિયેર પાણી પીવાથી ત્વચાને લાભ થાય છે. તેમાં રહેલા એન્ટિ ઓક્સિડન્ટ શરીરને ફ્રી રેડીકલ્સથી બચાવે છે અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. નાળિયેર પાણી નેચરલ ડિટોક્ષ વોટર પણ માનવામાં આવે છે.
મોટાભાગે દરેક રોગમાં નાળિયેર પાણી પી શકાય છે પરંતુ કિડનીમાં જે લોકોને પોટેશિયમ વધારે હોય તેમણે નાળિયેર પાણી પીતા પહેલા ડોક્ટરની સલાહ લેવી અથવા તો સંતુલિત માત્રામાં જ લેવું. આ સિવાય જે લોકોનું બ્લડ સુગર અનિયંત્રિત રહેતું હોય તેમણે પણ નાળિયેર પાણી પિતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
