દેખાવમાં નાનકડા ટીંડોળા સુપરફુડ છે. આ શાક વ્યક્તિને અનેક રોગથી બચાવી શકે છે. આ શાક શરીરને 5 એવા ફાયદા કરે છે જેના વિશે જાણીને તમે પણ આ શાક ખાવાનું શરુ કરી દેશો.
ટીંડોળા કેવું શાક છે જે શરીર માટે વરદાન છે. પરંતુ ઘણા લોકોને આ શાક ભાવતું નથી અને તેને જોઈને પણ મોઢું બગાડે છે. જોકે આજે તમને ટીંડોળાથી થતા એવા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ જેના વિશે જાણીને તમે આ શાક ખાવાની શરૂઆત કરી દેશો. દેખાવમાં નાનકડા આ શાકમાં સુપરફુડ જેટલા ગુણ હોય છે.
ટીંડોળા એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, ફાઇબર, પોટેશિયમ જેવા તત્વ પ્રચુર માત્રામાં હોય છે. આ તત્વ વ્યક્તિને અલગ અલગ રોગથી બચાવવામાં મદદ કરે છે. તો ચાલો તમને જણાવીએ કે ટીંડોળા ખાવાથી શરીરને કેવા ફાયદા થાય છે ?

ટીંડોડાથી થતા સ્વાસ્થ્ય લાભ
ડાયાબિટીસ
જો ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય તો આ શાક નિયમિત બનાવો. ડાયાબિટીસ હોય તેમની ડાયટમાં ટીંડોળાને સામેલ કરવાથી લાભ થાય છે. ટીંડોળા લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતું શાક છે. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસનું સેવન કરવાથી ઇન્સ્યુલિન લેવલ કંટ્રોલ. ટીંડોળા ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોને ફાયદો કરે છે.
વજન કંટ્રોલ કરવામાં મદદ કરે
જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમણે ટીંડોળાનું શાક ડાયટમાં સામેલ કરી લેવું. ટીંડોળા ફાઇબરથી ભરપૂર હોય છે તે પાચનતંત્રને ઠીક કરે છે. ટીંડોળાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કેલરી ઓછી હોય છે અને પાણી તેમજ ફાઇબર વધારે હોય છે.આ શાક ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું અનુભવાય છે અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

એનિમિયા
જે લોકોને એનિમિયા હોય તેમણે પણ ટીંડોડાનું સેવન કરવું જોઈએ, ટીંડોળા ખાવાથી શરીરમાં આયરનની ખામી દૂર થાય છે. આ સિવાય નબળાઈ, થાક અને શ્વાસ લેવાની સમસ્યાઓ દૂર થાય છે. ટીંડોળામાં રહેલા પોષક તત્વ શરીરમાં હિમોગ્લોબિન લેવલ વધારવામાં મદદ કરે છે.
પેટનું સ્વાસ્થ્ય સુધારે
ટીંડોળામાં ફાઇબર વધારે પ્રમાણમાં હોય છે. જે લોકોની પાચનશક્તિ ખરાબ હોય તેમણે ટીંડોળા ખાવા જોઈએ. ટીંડોળાનું પાચન ઝડપથી થઈ જાય છે અને સાથે જ અપચો, કબજિયાત જેવી ફરિયાદો દૂર થાય છે. જે લોકોને એસીડીટી વારંવાર થતી હોય તેમને પણ આ શાક ખાવું જોઈએ.
હાર્ટ હેલ્થ
ટીંડોળામાં સોડિયમ ઓછું અને પોટેશિયમ વધારે હોય છે જે હાર્ટ માટે સારું છે. આ શાક હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ટીંડોળામાં એન્ટિ ઓક્સિડન્ટ તત્વો હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં મદદ કરે છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
