
વરસાદી માહોલમાં આરોગ્યનું ધ્યાન રાખવું વધું આવશ્યક રહે છે. તેવામાં આમળાં ખાવાથી રોગોને શરીરમાં ઘૂસતાં રોકી શકાય છે. રોજ આમળાના સેવનથી અનેક ગુણો પ્રાપ્ત થાય છે અને આપણે નિરોગી રહીએ છીએ.
આમળાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે
ચોમાસામાં રોગચાળો ફાટી નીકળે છે. મચ્છરો અને અન્ય જંતુઓનો ઉપદ્રવ પણ વધવા લાગે છે. આ સમયે જો ઈમ્યુનિટી મજબૂત ન હોય તો તરત શરીરમાં બીમારીઓ પ્રવેશે છે. ઈમ્યુનિટી વધારવાં માટે આમળાં લેવા ઉત્તમ વિકલ્પ છે. આમળાંને ઈંગ્લીશમાં ઈંડિયન ગૂસબેરીઝ કહે છે. આ એક એવું ફળ છે જે ફક્ત એક-બે નહી પણ બહું બધાં ગુણોને સાથે લઈને આવે છે. આમળાંમાં વિટામિન સી અને તાકાતવર એંટીઓક્સિડેંટ્સ રહેલ હોય છે. એટલે આમળાંનું સેવન કરવાથી રોગો સામે લડવાની ક્ષમતા વધશે અને વારંવાર સર્દી – તાવ જેવી બીમારીથી બચી શકશો.

શરીરમાં લોહીના વહનને સુધારે છે
ઈમ્યુનિટી વધારવાની સાથે-સાથે તે પાચન પ્રક્રિયા પણ સુધારે છે અને હ્રદયના સ્વાસ્થ્યને મજબૂત કરે છે. સાથે આમળાંને દરરોજ લેવાથી તે ડાયાબિટીસને પણ મેનેજ કરે છે. આ ઉપરાંત આમળાં સ્કિન અને વાળ માટે પણ ફાયદારુપ રહે છે. તે શરીરમાં બ્લડ ફ્લોને વધારે છે જેના લીધે ધમનીઓમાં પ્લેક જમાં થતો નથી. આ પ્રકારે આમળાં કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને બ્લડ પ્રેશરમાં પણ સુધાર લાવે છે.
પેટ સંબંધિત તકલીફો દૂર કરે છે
આમળાં ફાઈબરથી ભરપૂર હોય છે એટલે તે કબજીયાત પણ રોકે છે અને પેટમાં એસિડના સ્તરને સંતુલિત પણ રાખે છે. આ પ્રકારે પાચન વ્યવસ્થિત હોવાથી અપચો, ગેસ કે અન્ય પાચન સંબંધી પરેશાનીથી છુટકારો મળે છે. આમળાંમાં રહેલ એંટીઓક્સિડેંટ્સ શરીરના સોજાને પણ ઓછો કરે છે. તે સોજાને કારણે થતી અન્ય બીમારીઓને પણ રોકે છે. ઉપરાંત આ એંટીઓક્સિડેંટ્સ લિવરને ડિટોક્સીફાઈ કરે છે. આમળાં તો એવા ગુણો ધરાવે છે જે તણાવ પણ ઘટાડી શકે છે, મગજને શાંત રાખે છે અને નીંદ્રાને પણ સુધારે છે. વિટામિન સીના શ્રેષ્ઠ સ્ત્રોત તરીકે પણ આમળાંનો ઉપયોગી રહે છે. આ રીતે આમળાંનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદારુપ રહે છે.

