નાળિયેર પાણી આમ તો દરેક વ્યક્તિ માટે લાભકારી છે પરંતુ ચાર એવી બીમારી છે જેમાં નાળિયેર પાણી દવાની જેમ અસર કરે છે. આ ચાર સમસ્યામાં રોજ એક ગ્લાસ નાળિયેર પાણી પણ પીવામાં આવે તો સ્વાસ્થ્ય ઝડપથી સારું થાય છે.
કદાચ એવી કોઈ વ્યક્તિ હોય જેને નાળિયેર પાણી ભાવતું ન હોય. નાળિયેર પાણી એવું નેચરલ ડ્રિન્ક છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક પણ છે. ઘણી બધી બીમારીઓમાં દર્દીને નાળિયેર પાણી પીવડાવવામાં આવે છે જેથી તેનું સ્વાસ્થ્ય ઝડપથી સારું થાય. ગરમીમાં નાળિયેર પાણી પીવાથી ડિહાઇડ્રેશનથી પણ બચી શકાય છે. સ્વાસ્થ્યવર્ધક ગુણના કારણે નાળિયેર પાણીને ડિમાન્ડ હંમેશા સારી રહે છે.
નાળિયેર પાણી આમ તો દરેક વ્યક્તિ માટે લાભકારી છે પરંતુ ચાર એવી બીમારી છે જેમાં નાળિયેર પાણી દવાની જેમ અસર કરે છે. આ ચાર સમસ્યામાં રોજ એક ગ્લાસ નાળિયેર પાણી પણ પીવામાં આવે તો સ્વાસ્થ્ય ઝડપથી સારું થાય છે.
આ સમસ્યાઓને દૂર કરે છે નાળિયેર પાણી
1. વધારે વજન કોઈ બીમારી નથી પરંતુ તેના કારણે અનેક બીમારીઓ થાય છે. તેથી જે લોકોનું વજન વધારે હોય તેવો દિવસ રાત મહેનત કરીને ચરબી ઘટાડવાના પ્રયત્નો કરતા હોય છે. તમારી આ મહેનતને નાળિયેર પાણી સફળ બનાવી શકે છે. વજન ઉતારવાનો પ્રયત્ન કરતા લોકોએ દિવસ દરમિયાન 1 ગ્લાસ નાળિયેર પાણી પીવું જોઈએ થોડા જ દિવસોમાં તમને તમારું શરીર શેપમાં આવતું જોવા મળશે.
2. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તેમણે પણ રોજ નાળિયેર પાણી પીવું જોઈએ. કારણ કે નાળિયેર પાણી શરીરમાં વધેલું બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. શરીરમાં વધતું ફેટ ઘટવા લાગે છે તો બ્લડ પ્રેશર પણ ધીરે ધીરે નોર્મલ રહેવા લાગે છે. તેથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ પણ આ નેચરલ ડ્રિંકનો ફાયદો લેવો જોઈએ.
3. ભારતમાં હાર્ટ પેશન્ટની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. હાર્ટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય તેમણે રોજ 1 ગ્લાસ નાળિયેર પાણી પીવું જોઈએ. તેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક, કોરોનરી ડિસીઝ સહિતની હાર્ટ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટી શકે છે.
4. કોરોના પછી દરેક વ્યક્તિ ઇન્ફેક્શનથી બચવા અંગે વધારે જાગૃત થઈ છે. જો તમે તમારી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ રાખો છો તો સંક્રમણથી બચી શકાય છે. અને આ કામ કરવા માટે નિયમિત 1 ગ્લાસ નાળિયેરનું પાણી પીવું જોઈએ. નિયમિત નાળિયેર પાણી પીવાથી ઈમ્યુનિટી બુસ્ટ થાય છે અને શરીરને ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ મળે છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw