
આ પાન દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે. આ પાનને યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો તેનાથી શરીરની કેટલીક બીમારીઓ દવા વિના મટી જાય છે.
જો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી છે અને તમને વારંવાર શરદી, ઉધરસ, માથાનો દુખાવો, તાવ જેવી તકલીફો થયા કરે છે તો આજે તમને એક એવો ઘરેલુ ઉપાય જણાવીએ જેને અજમાવવાનું શરૂ કરશો એટલે સૌથી પહેલા તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ જશે અને સાથે જ શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ પણ છુમંતર થઇ જશે.
શરદી, ઉધરસ, તાવ જેવી તકલીફો વારંવાર થઈ જતી હોય છે. આ ત્રણેય તકલીફમાં દવાની જેમ કામ કરતા લીલા પાન વિશે તમને જણાવીએ. આ પાનનો ઉપયોગ આજ સુધી તમે પણ કર્યો હશે પરંતુ શરીરની બીમારીઓમાં તેને દવાની જેમ કેવી રીતે વાપરવું તે ખબર નહીં હોય. આજે તમને જણાવીએ ફક્ત 5 રૂપિયામાં મળી રહેતા આ પાનનો ઉપયોગ કેવી રીતે કરવો કે જેનાથી શરીરની સામાન્ય બીમારીઓ દવા વિના જ મટી જાય.

જે પાનની અહીં વાત થઈ રહી છે તે છે નાગરવેલનું પાન. આ પાનનો ઉપયોગ મુખવાસમાં પણ કરવામાં આવે છે અને પૂજા પાઠમાં પણ કરવામાં આવે છે. આ પાન એવા ગુણથી ભરપૂર હોય છે જે શરદી, ઉધરસ, માથાનો દુખાવો જેવી તકલીફોને મટાડી શકે છે.
આ પાનનું સેવન કરવાથી પાચન સુધરે છે, શ્વાસની દુર્ગંધ દૂર થાય છે અને શરીરમાં રહેલા ટોક્સિન બહાર નીકળી જાય છે. કેટલીક રિસર્ચમાં તો એવું પણ સામે આવ્યું છે કે આ પાનનો અર્ક પીવાથી ગઠીયા, અસ્થમા અને ત્વચાની એલર્જી જેવી સ્થિતિમાં ફાયદો થાય છે. તો ચાલો તમને જણાવીએ આ પાનનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે.
પાચન સંબંધિત સમસ્યા
જો કોઈ વ્યક્તિને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય એટલે કે જેનું પાચન તંત્ર ખરાબ રહેતું હોય તેણે જમ્યા પછી વરીયાળી અને આ પાન ઉકાળેલું પાણી પીવું જોઈએ. આ પાન અને વરીયાળી ચાવીને તેનો રસ ગળે ઉતારીને પણ ખાઈ શકાય છે. તેનાથી કબજિયાત, અપચો, એસિડીટી જેવી સમસ્યા થવાની શક્યતા ઘટી જાય છે.

શરદી ઉધરસ માટે
જો કોઈ વ્યક્તિને શરદી, ઉધરસ કે અન્ય વાયરલ બીમારીઓ થઈ હોય તો તેણે આ પાન, તુલસી અને મુલેઠી પાણીમાં ઉકાળીને કાઢો બનાવવો. દિવસમાં એક કે બે વાર આ કાઢો પીવો જોઈએ. તેનાથી શરદી, ઉધરસ થી રાહત મળે છે.
