સરગવો દેશી ઔષધી છે. સરગવાની શીંગનો ઉપયોગ તો થતો જ હોય છે પરંતુ જો તમે સરગવાના ઝાડના પાનનો ઉપયોગ કરો તો તેનાથી ઘણી બીમારીઓનું જોખમ ઓછું થઈ જાય છે. તો ચાલો આજે જાણીએ સરગવાના પાનથી થતા ફાયદા અને ઉપયોગની રીત વિશે.
સરગવો જેને ઈંગ્લીશમાં મોરિંગા કહે છે અને ઘણા લોકો ડ્રમસ્ટિક તરીકે પણ ઓળખે છે તે શરીર માટે જડીબુટ્ટીથી કમ નથી. સરગવાનું ઝાડ એવું ઝાડ છે જેના પાન ફૂલ, સીંગ અને મૂળ બધું જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે. આયુર્વેદમાં સરગવાને અનેક બીમારીની દવા ગણવામાં આવે છે. સરગવાની સીંગનો જ ઉપયોગ મોટાભાગે ઘરમાં થતો હોય છે પરંતુ સૌથી વધુ ઉપયોગ તેના પાનનો કરવો જોઈએ.

આયુર્વેદ અનુસાર સરગવાના પાનમાં એવા ગુણ હોય છે જે ડાયાબિટીસથી લઈને હાર્ટ સુધીની ઘણી બીમારીઓમાં ફાયદો કરે છે. જો તમે સરગવાના પાનને ડાયટમાં એડ કરો છો તો તેનાથી શરીરની ઘણી બધી સમસ્યાઓ દૂર થવા લાગશે અને ગંભીર બીમારી થવાનું જોખમ પણ ઘટી જશે. જો તમે આજ સુધી સરગવાના પાનનો ઉપયોગ કર્યો નથી કે પછી તમને ખ્યાલ નથી કે સરગવાના પાનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તો ચાલો તમને જણાવીએ. પરંતુ તેના પહેલા જાણીએ કે સરગવાના પાનનો ઉપયોગ કરવાથી કઈ બીમારીઓમાં ફાયદો થાય છે ?
સરગવાના પાન કઈ બીમારીમાં ફાયદો કરે ?
– સરગવાના ઝાડના મૂળને પાણીમાં ઉકાળીને તે પાણી પીવાથી ટાઈફોડમાં ફાયદો થાય છે.
– માથામાં દુખાવો થતો હોય તો સરગવાના પાનનો લેપ બનાવીને માથા પર લગાડી શકાય છે. તેનાથી માથાના દુખાવામાં દવા વિના રાહત મળી શકે છે.
– શરદીના કારણે ગળું બેસી ગયું હોય તો સરગવાના મૂળનો ઉકાળો બનાવીને તેનાથી કોગળા કરવા. તેનાથી ગળાની તકલીફમાં રાહત મળવા લાગે છે.
સરગવાના પાન કઈ બીમારીમાં ફાયદો કરે ?

– સરગવાના ઝાડના મૂળને પાણીમાં ઉકાળીને તે પાણી પીવાથી ટાઈફોડમાં ફાયદો થાય છે.
– માથામાં દુખાવો થતો હોય તો સરગવાના પાનનો લેપ બનાવીને માથા પર લગાડી શકાય છે. તેનાથી માથાના દુખાવામાં દવા વિના રાહત મળી શકે છે.
– શરદીના કારણે ગળું બેસી ગયું હોય તો સરગવાના મૂળનો ઉકાળો બનાવીને તેનાથી કોગળા કરવા. તેનાથી ગળાની તકલીફમાં રાહત મળવા લાગે છે.
– સરગવાના તાજા પાન ચાવીને ખાવાથી ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
– સરગવાના પાન એવા લોકો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે જેમને હાઈ કોલેસ્ટ્રોલ ની સમસ્યા હોય.
– સરગવાના ઝાડમાં જે ફૂલ આવે તેને પાણીમાં ઉકાળીને તે પાણી પીવાથી શારીરિક નબળાઈ દૂર કરવામાં મદદ મળી શકે છે.
– સરગવાના પાન ગઠિયાના દુખાવાને દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે..
– સરગવાના પાન લીવરને હેલ્ધી બનાવવામાં અને બોડી ડિટોક્ષ કરવામાં મદદ કરી શકે છે..
સરગવાના પાન ઉપર જણાવ્યા અનુસારના ફાયદા એટલા માટે કરે છે કે તે પોષક તત્વોનો ભંડાર હોય છે. સરગવાના સામાન્ય દેખાતા પાનમાં વિટામિન, મિનરલ અને એન્ટિ ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. 100 ગ્રામ સરગવાના પાનમાં સંતરા કરતાં સાત ગણું વધારે વિટામિન સી મળે છે. તેવી જ રીતે સરગવાના પાનથી કેલ્શિયમ, પોટેશિયમ, પ્રોટીન, વિટામીન એ અને આયરમ પણ મળે છે. સરગવાના પાન અને તેની સીંગમાં કેલેરી ખૂબ ઓછી હોય છે અને ફાઇબર તેમાં વધારે હોય છે.

સરગવાના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો?
સરગવાના પાનને સવારે ખાલી પેટ ખાવા ફાયદાકારક માનવામાં આવે છે.. જોકે સરગવાના પાનને દિવસમાં કોઈ પણ સમયે ખાઈ શકાય છે પરંતુ જો તમે નાસ્તા પહેલા ખાઓ તો સૌથી સારું. બસ એક વાતનું ધ્યાન રાખવું કે રાત્રે સરગવાના પાનનું સેવન ન કરવું. રોજ એક મુઠ્ઠી તાજા સરગવાના પાનનું સેવન કરી શકો છો જો તમે ઈચ્છો તો સરગવાના પાનનું ચૂર્ણ 1 થી 2 ચમચી લઈ શકો છો. જે લોકોને પહેલાથી કોઈ બીમારી હોય અથવા દવા ચાલતી હોય તેમણે ડોક્ટરની સલાહ લીધા પછી જ સરગવાના પાન ખાવાની શરૂઆત કરવી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
