September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

ફડણવીસે ઠાકરે, પવાર, આદિત્ય, પરબ પર ગંભીર આરોપ કરવા માટે દબાણ કર્યું હતું

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખે બુધવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર હતી ત્યારે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ભીંસમાંથી બચવું હોય તો તત્કાલીન મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે, ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર, મંત્રીઓ આદિત્ય ઠાકરે, અનિલ પરબ પર ગંભીર આક્ષેપો કરવા માટે દબાણ કર્યું હતું. આ આરોપને લઈ રાજકીય વિવાદ ઊભો થયો છે.

દેશમુખે કહ્યું કે, મેં ખોટા આક્ષેપો કરવાનો, એફિડેવિટ આપવાનો ઇનકાર કર્યો હતો. આથી મારી સામે ઈડી, સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. મને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ શ્યામ માનવે પણ કહ્યું છે કે, દેશમુખ દ્વારા કરવામાં આવેલા આરોપોમાં સત્ય છે.

દેશમુખે જણાવ્યું હતું કે, અજિત પવાર અને પાર્થ પવારની હાજરીમાં મને દેવગિરિ બંગલામાં બોલાવાયો હતો અને ગુટખાના ધંધાવાળા પાસેથી દર મહિને કરોડો રૂપિયા કમાઈને આપવાની માગણી કરી હતી. મારી પર ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને અનિલ પરબને ફસાવવાનું દબાણ હતું. મને સીધી ઓફર કરવામાં આવી હતી કે, જો હું ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અનિલ પરબ, અજિત પવાર અને પાર્થ પવાર પર આરોપો કરીશ તો મને ઈડી કેસમાંથી છોડી દેવાશે.

દેશમુખે જણાવ્યું કે આદિત્ય ઠાકરેએ દિશા સાલિયન સાથે દુષ્કર્મ કર્યું અને તેને ઈમારતમાંથી ધક્કો મારી દીધો હતો એવો આરોપ કરવા કહેવાયું હતું. ગુટખા કેસમાં અજિત પવાર પર ખોટા આરોપ કરવા અને અનિલ પરબ પર પણ ખોટા આરોપ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

હું દબાણને વશ થયો નથી. મેં ખોટા આક્ષેપો કરવા, સોગંદનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેથી જ ઈડી, સીબીઆઈના કેસ મારી પર લાગુ કરાયા. દેશમુખે ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, મારી પાસે ફડણવીસના માણસ દ્વારા આપવામાં આવેલું પરબીડિયું પુરાવા રૂપે છે. મેં આ કામ નહીં કરતાં મારી ધરપકડ કરાવવામાં આવી હતી. હું પુરાવા વિના બોલતો નથી. હું યોગ્ય સમયે પુરાવાઓ સામે લાવીશ. ફડણવીસ દ્વારા મોકલવામાં આવેલી વ્યક્તિનું નામ પણ જાહેર કરીશ, એમ પણ દેશમુખે જણાવ્યું હતું.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us