કોવિડકાળ પછી વિમાન પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે, જેને લઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા વિવિધ સેવાઓ વિસ્તારવામાં આવી રહી છે. હવે પ્રવાસીઓની સલામતીની તપાસ ઝડપી બનાવવા માટે પ્રી-એમ્બાર્કેશન સિક્યુરિટી ચેક (પીઈએસસી) સુવિધાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.27 માર્ચ, 2023ના રોજ આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં આઠ નવી સિક્યુરિટી લેન ઉમેરવામાં આવી હતી, જેમાં નવીનક્કોર ડોમેસ્ટિક ટુ ડોમેસ્ટિક ટ્રાન્સફર સુવિધાનો સમાવેશ થતો હતો. હવે બીજા તબક્કામાં પીએએસસી ખાતે પ્રક્રિયાની જગ્યા લગભગ બેગણી વધારવામાં આવી છે.

આ સાથે હવે સિક્યુરિટી તપાસ માટે કુલ 5735 ચોરસમીટરની સમર્પિત જગ્યા બની છે અને 328 ચોરસમીટરના નવા નિર્માણ કરાયેલા ડોમેસ્ટિક ટ્રાન્સફર એરિયાનો સમાવેશ થાય છે. નવું તૈયાર કરાયેલું પીઈએસસી આશે 2075 ચોરસમીટરની પ્રક્રિયાની જગ્યા આપે છે, જે દેશમાં સૌથી વિશાળમાંથી એક છે.આ વિશે એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમને આઠ નવી સિક્યુરિટી લેન શરૂ કરવાની અને અમારું પીઈએસસી વિસ્તારવાની ઘોષણા કરવામાં બેહદ ખુશી થાય છે. ટી-2 ખાતે પ્રક્રિયા ક્ષમતા બહેતર બનાવવાની દિશામાં આ નોંધપાત્ર પગલું છે અને તેને લીધે અમારા બધા પ્રવાસીઓ માટે ઝડપી અને સંરક્ષિત પ્રવાસ અનુભવની ખાતરી થશે.

અમને વિશ્વાસ છે કે આ નવી સુવિધા અમારા પ્રવાસીઓને વિશ્વ કક્ષાની સેવા આપવાની અમારી કટિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.વરિષ્ઠો, બાળકો માટે અગ્રતાની લેન : પ્રવાસીઓની સહજ અવરજવર માટે આ વિસ્તારિત સુવિધા મહત્ત્વપૂર્ણ છે. આ જગ્યામાં અનુભવને વધુ બહેતર બનાવવા માટે મુંબઈ એરપોર્ટ ગ્વારા પ્રવાસીઓનું માર્ગદર્શન કરવા માટે ગૂડનેસ ચેમ્પિયન્સ (સેવા નિષ્ણાતો)ને રોક્યા છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/D7tXVfZBAS1JYWWVtMpheZ

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us