થાણે અને મુંબઈ-અમદાવાદ માર્ગને જોડતા ઘોડબંદર રોડના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. એ દરમ્યાન ટ્રાફિક ન થાય એ હેતુથી આ રસ્તા પર ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં મોટા વાહનોની અવરજવર હજી પણ ચાલુ રહી છે જેના કારણે ઘોડબંદર રોડ પર ટ્રાફિક-જૅમ થતો હોય છે. માત્ર એક કિલોમીટરનું અંતર કાપવામાં ૨૫થી ૩૦ મિનિટ કરતાં વધુ સમય લાગતો હોય છે જેના કારણે વાહનચાલકો રોષ વ્યકત કરી રહ્યા હતા.

પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોને કેવી રીતે ્રવેશ આપવામાં આવે છે એવો પ્રશ્ન વાહનચાલકો કરી રહ્યા છે. ઘોડબંદર રોડ પર ચોમાસા દરમ્યાન ખાડા પડી જતા હોય છે એટલે અહીંના રોડની સમારકામની કામગીરી જાહેર બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઘોડબંદર રૂટ થાણે તેમ જ મુંબઈ-અમદાવાદ રૂટને જોડે છે ઉરણમાં (JNPT)થી હજારો ભારે વાહનો ઘોડબંદર થઈને વસઈ અથવા ગુજરાત તરફ જતાં હોય છે. મોટાં વાહનો પર પ્રતિબંધ હોવા છતાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST) બસો, મ્યુનિસિપલ ટ્ાન્સપોર્ટ વિભાગની બસો અને હળવાં વાહનો અહીંથી મોટી સંખ્યામાં જતાં હોય છે.

અહી રિપેરિંગની કામગીરીને કારણે વાહનચાલકોને રોજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા અઠવાડિયે ઘોડબંદર માર્ગ પર કાસારવડવલીથી કાપુરબાવડી બ્રિજ સુધી ટ્રાફિક-જેમ થયો હતો જે આખો દિવસ રહેવાથી બપોરના સમયે આકરા તડકામાં બાઈકચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us