ફરિયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો લોકોનો આરોપ
મુલુંડ વેસ્ટ અને ઈસ્ટમાં છેલ્લા કેટલાક વખતથી ટ્રાફિક-સિગ્નલો પર ગેરકાયદે રીતે કમર્શિયલ. બૅનરો લગાવવામાં આવતાં સિગ્નલ જોવામાં અવરોધ થતો હોવાનો દાવો સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જે જાહેરાતકર્તાઓ અને બૃહમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અતિક્રમણ વિભાગ વચ્ચે સાઠગાંઠની શંકાને વેગ આપે છે. રેસ્ટોરાં, દુકાનો અને ઇવેન્ટ્સ માટે જાહેરાતો દર્શાવતાં બૅનરો મુલુંડના પાંચ રસ્તા, એન. એસ. રોડ અને સ્ટેશન નજીકનાં સિગ્નલો પર લાગેલાં હોવાનો દાવો નાગરિક કરી રહ્યા છે.

મુલુંડના દરેક સિગ્નલ પર ટ્રાફિક-અધિકારીઓ તહેનાત હોય છે જેઓ સિગ્નલ જમ્પ કરતા લોકોને ફાઈન કરતા હોય છે. આવા સમયે સિગ્નલ જ ક્લિયર ન દેખાતું હોય તો એમાં વાંક વાહનચાલકનો નથી. આ સમયે ટ્રાફિક-વિભાગે BMCને પત્ર લખીને સિગ્નલ પર લાગેલાં આવાં ગેરકાયદે બૅનરો તાત્કાલિક દૂર કરવાની જરૂર છે. આવાં બેનરો મુલુંડ રેલવે-સ્ટેશન, જ્ઞાનસરિતા કૉલેજ અને થાણેના બન્ને ટોલપ્લાઝા નજીક સૌથી વધારે પ્રમાણમાં લાગેલાં છે. આ મામલે BMCને ફરિયાદ કરવામાં આવતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનું પણ જોવા મળ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
