જીએસટી 2.0નું દવા વિક્રેતા સંગઠને સ્વાગત કર્યું છે. જીએસટી ઓછો થવાથી દર્દીઓની દવાઓ સસ્તી થશે. આખા દેશમાં 12.5 લાખ ઔષધ વિક્રેતાઓનું સંગઠન અખિલ ભારતીય ઔષધિ વિક્રેતા સંગઠન (એઆઈઓસીડી)એ ઐતિહાસિક જીએસટી 2.0નું સ્વાગત કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. કરોડો ભારતીયોને આ નિર્ણયને લીધે સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ થશે. દવા પરનો જીએસટી 12 ટકા અને 18 ટકા પરથી 5 ટકા સુધી નીચે લવાયો હોઈ કેન્સર અને અન્ય જીવનરક્ષક મોટા ભાગની દવાઓ કરમુક્ત થઈ ગઈ છે.

એઆઈઓસીડીના અધ્યક્ષ જગન્નાથ શિંદે અને મહાસચિવ રાજીવ સિંગલે આ નિર્ણયનું સ્વાગત કરીને દર્દીઓને તેનો લાભ કરાવવા અમે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તમારું આરોગ્ય- અમારું વચન પ્રમાણે આખા દેશમાં વ્યવસ્થિત રીતે આ નિર્ણયનો લાભ મેળવી આપવા સંગઠન કટિબદ્ધ છે. દર્દી માહિતગાર બને તે માટે દેશની બધી દુકાનોમાં પોસ્ટર લગાવવા બાબતે સૂચના આપવામાં આવી છે.

રિટેઈલ દવા વિક્રેતાએ પોતાનું નુકસાન કરીને દર્દીઓને તુરંત ફાયદો આપવો જોઈએ. આ સાથે સંગઠને માગણી કરી છે કે જૂના સ્ટોક પર મળનારું જમા વળતરની ઉચિત વ્યવસ્થા કરવા પર વેપારીઓ પર નકદ ચલણ તૂટનો ભાર ઓછો થઈ શકે છે. જીએસટી પરિવર્તન લાગુ કરવા પર કોઈ ભૂલ થાય તો દવા વિક્રેતાઓને 3-4 મહિના સુધી રક્ષણ આપવું જોઈએ. દેશમાં રોજ 12.5 લાખ કેમિસ્ટો કરોડો લોકોને સેવા આપે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
