બાર જ્યોતિર્લિંગમાંના એક એવા ભીમાશંકર મહાદેવનાં દર્શન શિવરાત્રિ પર નહીં થઈ શકે. પુણે જિલ્લા અધિકારીના નિર્દેશને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ મંદિરમાં સમારકામ ચાલી રહ્યું છે એથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંદિર પ્રશાસને જણાવ્યું છે. દર વર્ષે મહાશિવરાત્રિ નિમિત્તે લાખો ભક્તો ભીમાશંકરનાં દર્શન માટે આવતા હોય છે. જોકે હાલ સામારકામ ચાલી રહ્યું હોવાથી ભાવિકોની અને મંદિરની સુરક્ષાને ધ્યાનમાં રાખી શિવરાત્રિ પર ભીમાશંકર મહાદેવનું મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
