મુંબઈમાં આગામી મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકારણ ગરમાયું છે. રાજ્યના ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ વિપક્ષ પર તીખા પ્રહાર કરતાં કહ્યું કે, ચૂંટણીઓ નજીક આવે એટલે વિપક્ષીઓ મુંબઈ વેચાઈ રહી છે, એવી કેસેટ શરૂ કરે છે. તેમણે ઠાકરે જૂથને નિશાન બનાવતાં કહ્યું કે, આ લોકો જાતે જ એનાકોન્ડા સાપ જેવા છે, જેમણે મુંબઈ મહાપાલિકાની તિજોરી ફરતે ભરડો લીધો છે.એકનાથ શિંદેએ કહ્યું, આ એનાકોન્ડાએ માત્ર તિજોરી નહીં પરંતુ મુંબઈના રોગીઓ માટેની ખીચડી, મુંબઈની જમીન અને પ્રોજેક્ટ્સ બધું ગળી લીધું છે. તેમ છતાં તેમનું પેટે ભરાતું નથી. તેમને ભસમ્યા રોગ લાગ્યો છે. આ એવા એનાકોન્ડા છે જેઓનું પેટે ક્યારેય નહીં ભરાય. મુંબઈકરોને હવે ખબર પડી ગઈ છે કે, શહેરને લૂંટનારાઓને આ વખતે તેઓ માફ નહીં કરે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ઉદ્ધવ ઠાકરેએ ગૃહમંત્રી અમિત શાહ પર ટિપ્પણી કરી હતી કે, મુંબઈ ગળી લેવાનો પ્રયાસ શરૂ થયો છે, તેના જવાબમાં શિંદેએ કહ્યું, તે લોકોનો પરાજય હવે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, એટલે ચૂંટણી પંચ અને ઈવીએમ પર આરોપો લગાવી રહ્યા છે. આગળ શિંદેએ ઉમેર્યું કે, મુંબઈ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોની યાદી ગણનારા હવે મતદાર યાદી ગણતા થયા છે,

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
