મુંબઈમાં મરાઠીમાં ન બોલવા બદલ મનસેના કાર્યકરો દ્વારા હેરાનગતિ, દુર્વ્યવહાર અને મારપીટ બાદ દિલ્હી સ્થિત એક પત્રકાર દ્વારા ચિંતાજનક વિડિયો અને સોશિયલ મિડિયા પોસ્ટથી લોકોમાં રોષ ફેલાયો છે. એક એકસ વપરાશકર્તા સિન્હાએ એક પત્રકારનો વિડિયો શેર કર્યો જે શહેરમાં થોડા કલાકો માટે રિપોર્ટિંગ કરવા માટે આવ્યો હતો.
રાજ્યની ફડણવીસ સરકાર પર મૂકપ્રેક્ષક બની રહેવા માટે તીખી આલોચના કરવામાં આવી રહી છે. પોસ્ટમાં લખ્યું હતું કે, આપણે કેવા રાજ્યમાં ફેરવાઈ રહ્યા છીએ? જો કોઈ મુંબઈમાં થોડા કલાકો માટે પણ જાય છે, તો તેણે પહેલાં મરાઠી શીખવું પડશે? વિડિયોમાં રિપોર્ટર ટોળાને કહેતો જોવા મળે છે કે, હું અહીં રહેતો નથી, હું હમણાં જ દિલ્હીથી રિપોર્ટિંગ કરવા માટે આવ્યો છું.

વાઈરલ વિડિયોમાં, મનસે કાર્યકરો રિપોર્ટર સામે આક્રમક બનેલા જોઈ શકાય છે. તેઓ બૂમો પાડે છે, તમે ભારતના કોઈ પણ ભાગમાંથી આવો, પછી ભલે તે દિલ્હી હોય, અમદાવાદ હોય કે રાજસ્થાન, તમારે મરાઠી શીખવું પડશે અને મહારાષ્ટ્રમાં મરાઠી બોલવું જ પડશે. પરિસ્થિતિ વધુ વણસી ગઈ કારણ કે કાર્યકરોએ પત્રકારને મરાઠી વાક્યનું પુનરાવર્તન કરવા દબાણ કર્યું, અપશબ્દો કહ્યા અને ઘટના રેકોર્ડ કરવાનું બંધ કરવાની ધમકી આપી. જોકે વિડિયોમાં બાદમાં પોલીસની દરમિયાનગીરી પણ જોવા મળી હતી. આ વિડિયો અને પોસ્ટ વાઈરલ થયા પછી, નેટિઝન્સ તરફથી વ્યાપક ટીકા થઈ છે.
ઘણા લોકોએ મુંબઈમાં ભાષા વિવાદ અને બિન-મરાઠી ભાષીઓ પ્રત્યે ગેરવર્તન અંગે ચિંતા વ્યક્ત કરી. આ ભાષાનું ગૌરવ નથી, આ ટોળાની દાદાગીરી છે, એક યુઝરે પોસ્ટ કરી. બીજી એક વ્યક્તિએ લખ્યું, આજે પત્રકાર છે, કાલે તે એક પ્રવાસી, ડૉક્ટર કે દર્દી હોઈ શકે છે. મનસે દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. જોકે, પાર્ટીનો મરાઠી ઓળખ અને ભાષાના આવા સંઘર્ષાત્મક અમલીકરણનો ઇતિહાસ રહ્યો છે, ખાસ કરીને રાજ ઠાકરેના નેતૃત્વ હેઠળ, જેમણે વારંવાર મહારાષ્ટ્રમાં સ્થાનિક લોકોને ભાષાકીય અને રોજગારમાં પ્રાથમિકતા આપવાની હિમાયત કરી છે.

For more details… Contact 9322529232 / 9324483455
