મુંબઈ સહિત રાજ્યભરમાં શ્રદ્ધાપૂર્વક ગણેશોત્સવની ઉજવણી થઈ ત્યારે બીજી બાજુ નવી મુંબઈમાં ગણપતીને પહેરાવવામાં આવેલો ૨.૩૪ લાખની કિંમતનો સોનાનો હાર કોઈ ચોરી ગયું હતું.
નવી મુંબઈના જૂઈ નગરમાં રહેતા સૂર્યકાંત વાડકરે ઘરે ગણપતીની સ્થાપના કરી હતી અને મૂર્તિના ગળામાં ૭૮ ગ્રામ સોનાનો હાર પહેરાવ્યો હતો. આ દરમિયાન સત્યનારાયમની પૂજા રાખી હોવાથી ઘણા લોકો દર્શને આવ્યા હતા. આમાંથી કોઈક ભીડનો લાભ લઈ હાર તફડાવી પલાયન થઈ ગયું હતું.
બીજે દિવસે હાર ચોરાયો છે તેની જાણ થતા નેરૃળ પોલીસ સ્ટેશનમાં વાડકરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ ચાલું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw