બોરીવલી-વેસ્ટમાં કલ્યાણ જ્વેલર્સની સામે, કોરા કેન્દ્રની બાજુમાં દત્તાણી નગર ઈમારતમાં રહેતા બે નાગરિકોએ એક રખડુ કૂતરાને ક્રૂરતાથી માર મારવાની ઘટનાનો મામલો બોરીવલી પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. 9 સપ્ટેમ્બરે નોંધાયેલી ફરિયાદ અનુસાર 8 વર્ષથી આ ઈમારતમાં પરિવાર સાથે રહેતી 35 વર્ષની કચ્છી વાગડ સમુદાયની મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર એક રખડુ કૂતરાને 1લી સપ્ટેમ્બરે બપોરે સોસાયટીના કેટલાક લોકો ગ્રાઉન્ડમાં ક્રિક્રેટ રમી રહ્યા હતા તે દરમિયાન વૈભવ સુરેશ કારીઆ અને હિમાંશુ અશ્વિન ઠકકરે લાકડી અને બેટ વડે ક્રૂરતાથી માર માર્યો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. મહિલા 8મી સપ્ટેમ્બરે ઈજાગ્રસ્ત કૂતરાને સારવાર માટે બોરીવલીની આઈસી કોલોનીમાં બ્લુ સેવન હોસ્પિટલમાં લઇ ગઈ, જ્યાં ડોકટરે કૂતરાનો એકસ-રે કરાવતાં મોઢા પર ફ્રેકચર હોવાનું જણાયું. આ પછી કૂતરાને માર મારનાર વિરુદ્ધ બોરીવલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
કચ્છના ભચાઉના વતની અને બોરીવલીમાં રહેતા કચ્છી વાગડ વિશા ઓસવાળ ગાયત્રી વાડીલાલ નિસારે કહ્યું કે, કૂતરાને માર મારનાર લોકોને મેં કૂતરાને સારવાર માટે લઈ જવા કહ્યું, પરંતુ તેમણે દુર્લક્ષ કર્યું. કૂતરો ચાલી શકતો નથી. ડોક્ટરે સર્જરી કરાવવી પડશે એમ કહ્યું છે. આ માટે બુધવારે કૂતરાને દાખલ કરીશ. સર્જરી પછી 2 મહિના ફોસ્ટર કેરમાં કૂતરાને રાખવો પડશે. ડોકટરે ઓપરેશન માટે રૂપિયા 80,000નો ખર્ચ કહ્યો છે, મારી પાસે 20 બિલાડી પાળેલી છે. હજુ પણ લોકો મૂકી જાય છે, એથી આ તમામને સાચવવા હું મારા વતન કચ્છમાં એક નાનું ઘર બનાવવા થોડાક દિવસમાં જઈશ અને આ તમામ પ્રાણીઓને ત્યાં લઈ જઈને સારસંભાળની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw