ફિલ્મ ધુરંધર રિલીઝ થઈ ત્યારથી લોકો તેના બીજા પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજા પાર્ટમાં દર્શકોને ખાસ મનોરંજન મળી રહે તેને લઈને મેકર્સ દ્વારા સ્ક્રીપ્ટમાં ઘણા ટ્વીસ્ટ કરવામાં આવે છે. ફિલ્મને આદિત્ય ધર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. આ પહેલા તેમણે ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક ફિલ્મ ડાયરેક્ટ કરી હતી. ઉરી ફિલ્મ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી તેના પર બનાવવામાં આવી હતી.
ઉરી ફિલ્મમાં વિક્કી કૌશલનો રોલ મહત્વનો હતો. હવે એવી માહિતી સામે આવી છે કે ધુરંધર 2માં વિક્કી કૌશલની એન્ટ્રી પણ થઈ શકે છે. એટલે કે આ ફિલ્મમાં વિક્કી કૌશલનો ઉરી વાળો રોલ જોવા મળશે. ડાયરેક્ટર આદિત્ય ધર ધુરંધર અને ઉરી ફિલ્મને જોડીને એક મોટું યુનિવર્સ બનાવવાની તૈયારીમાં છે. જોકે આ મામલે મેકર્સ દ્વારા હજુ કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી.

એવી પણ માહિતી સામે આવી છે કે ધુરંધર 2 ફિલ્મમાં વિક્કી કૌશલનો કેમિયો રોલ નહીં હોય. ઉરી ફિલ્મમાં તેણે પોપ્યુલર મેજર વિહાન શેરગિલનો રોલ કર્યો હતો તે જ રોલમાં તે ફરી જોવા મળશે. એવી પણ ખબર સામે આવી છે કે આદિત્ય ધર ધુરંધર 2માં સ્ટાર પાવરને વધુ મજબૂત બનાવી રહ્યા છે. જોકે આ મામલે તેઓ હાલ મૌન છે અને તેમણે સત્તાવાર કોઈ જાહેરાત નથી કરી.
ઉલ્લેખનીય છે કે વિક્કી કૌશલ ધુરંધર 2માં ચોક્કસ જોવા મળશે કે નહીં તેને લઈને હજુ કન્ફર્મેશન સામે નથી આવ્યું. ફિલ્મ રિલીઝ થયા પછી જ દર્શકોને ખબર પડી શકશે કે ધુરંધર 2માં ડાયરેક્ટર દ્વારા શું નવાજૂની કરવામાં આવી છે. દર્શકોમાં ફિલ્મને લઈને પહેલાથી ઘણી આતુરતા છે ત્યારે વધુમાં વિક્કી કૌશલની એન્ટ્રીના સમાચાર જાણીને દર્શકોની ઉત્સુકતા હવે વધી ગઈ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
