આ શાન કોની, લાલબાગના રાજાની, લાલબાગના રાજાનો વિજય થાવ….જેવી જયઘોષ સાથે અત્યંત ભાવપૂર્ણ વાતાવરણમાં લાલબાગના રાજાનું ગિરગાવ ચોપાટીના સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઈની શાન લાલબાગના રાજાનું વિસર્જન સરઘસ મંગળવારે સવારના શરૂ થયું હતું અને બુધવારે સવારના 23 કલાક લગભગ સાડા દસના સુમારે વિસર્જન કરવામાં આવ્યું હતું. એ સમયે બાપ્પાના વિદાય આપવા અફાટ માનવ મહેરામણ ઉમટ્યો હતો. પછી ગિરગાવ ચોપાટીના સમુદ્રમાં લાલબાગના રાજાનું શાહી વિસર્જન કરવામાં આવ્યું. ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યાના ગગનભેદી નારાઓ સાથે લાલબાગના રાજાને ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી હતી.
લાલબાગના રાજા બુધવારે સવારના 6 વાગ્યે ચોપાટી પહોંચ્યા હતા. ગિરગાવ ચોપાટી પરિસરમાં સવારના પાંચના સુમારે વરસાદ પડ્યો હતો. જો કે વરસાદમાં પણ બાપ્પાનું વિસર્જન ચાલુ હતું. ગિરગાવ ચોપાટી પર ચિંચપોકલીના ચિંતામણી અને મજગામના રાજા સાથે લાલબાગના રાજાનું સરઘસ પણ વરસાદમાં ચાલુ હતું. લાલબાગના રાજાના દર્શન કરવા માટે ભાવિકોની રાતથી જ ગિરગાવ ચોપાટી પર ગિરદી જોવા મળી હતી.
મુંબઈના લાલબાગમાં મંગળવારે સવારના 11 કલાકે લાલબાગના રાજાની આરતી કરીને વિસર્જન સરઘસની શરૂઆત થઈ હતી. પારંપારિક વેશભૂષામાં ભાવિકોએ આ સરઘસમાં ભાગ લીધો હતો. એ સમયે ઢોલનગારાનો અવાજ, ફટાકડાઓની આતષબાજી, ગુલાલ સહિત ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યાના જયઘોષ સાથે ભાવપૂર્ણ વાતાવરણમાં બાપ્પાનું સરઘસ લગભગ 23 કલાક ચાલુ હતું.
હાઈડ્રોલિક્સનો ઉપયોગ કરીને મશીનવાળા તરાપાની મદદથી લાલબાગના રાજાને ઊંડા સમુદ્રમાં જઈને વિદાય આપવામાં આવી હતી. 23 કલાક બાદ પણ ભાવિકોના ઉત્સાહમાં જરાય ઓછપ આવી નહોતી. લાલબાગના રાજાને વિદાય આપવા મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત હતા. સરઘસના માર્ગ પર માનવ મહેરામણ ઊભરાયો હતો. 23 કલાક ચાલેલા સરઘસ પછી ઢોલનગારા સાથે લાલબાગના રાજાનું સમુદ્રમાં શાહી વિસર્જન કરવામાં આવ્યું હતું.
વિશેષ સ્વચ્છતા ઝુંબેશ
ગણપતિની મૂર્તિઓનું વિસર્જન પૂરું થયા પછી મુંબઈ મહાપાલિકાના માધ્યમથી વિવિધ ચોપાટીઓ પર સમુદ્રકિનારે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી. એના દ્વારા 363 મેટ્રીક ટન કચરો ભેગો કરવામાં આવ્યા. ચોપાટીઓ પર દરરોજ સવારે મોર્નિંગવોક કરવા આવતા મુંબઈગરાઓ માટે આ સંપૂર્ણ પરિસર સ્વચ્છ કરી આપવામાં આવ્યો હતો. કુદરતી અને કૃત્રિમ જળાશયના તમામ સ્થળે મળીને લગભગ 550 મેટ્રીક ટન કચરો ભેગો કરવામાં આવ્યો હતો. આ કચરામાંથી સેન્દ્રિય ખાતર તૈયાર કરવાની કાર્યવાહી મહાપાલિકાએ શરૂ કરી છે.
37 હજાર મૂર્તિઓનું વિસર્જન
અનંત ચતુર્દશી દિવસે મુંબઈમાં લગભગ 37 હજાર ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઠેકઠેકાણે ગણપતિ વિસર્જનના સરઘસ કાઢવામાં આવ્યા હતા. ઢોલનગારા વગાડતા, ફટાકડાઓની આતષબાજી અને બાપ્પાના નામનો જાપ કરતા ભાવિકો સરઘસમાં સહભાગી થયા હતા. સમુદ્રમાં મંગળવારે રાતના ભરતી આવવાની હોવાથી અનેક મંડળોએ પહેલાં જ વિસર્જન કર્યું હતું. જો કે અનેક મંડળના સરઘસ બુધવાર સવાર સુધી ચાલુ હતા. મુંબઈના રાજા, મુંબઈના મહારાજા, ચિંચપોકલીના ચિંતામણી, તારદેવના રાજા, ખેતવાડીના રાજા, પરેલના મહારાજા, ગિરગાવના રાજા, ગિરગાવના મહારાજા, મંગલદાસના રાજા સહિત અનેક નાનામોટા ગણપતિ ચોપાટી પહોંચ્યા હતા. વિસર્જન દરમિયાન કોઈ પણ અનિચ્છિત ઘટના ન બને એ માટે મુંબઈ મહાપાલિકા પ્રશાસન, પરિવહન પોલીસ અને મુંબઈ પોલીસે ઉત્તમ સમન્વય સાધીને મહત્વની કામગિરી બજાવી હતી.
કૃત્રિમ જળાશયમાં વિસર્જન
મહાપાલિકાએ આ વર્ષે વિસર્જન માટે કૃત્રિમ જળાશયની સંખ્યા વધારી હતી. સંપૂર્ણ મુંબઈમાં 69 કુદરતી વિસર્જન સ્થળ સહિત 204 કૃત્રિમ જળાશયની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. મંગળવારથી બુધવાર સવાર સુધી મુંબઈ અને બંને ઉપનગરોમાં મળીને કુલ 37 હજાર 64 ગણપતિ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એમાં 5 હજાર 762 સાર્વજનિક અને 31 હજાર 105 ઘરગથ્થુ મૂર્તિઓનો સમાવેશ હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw