મુંબઈ શહેરની વધતી લોકસંખ્યા ધ્યાનમાં લઈને મુંબઈમાં વધુ પાંચ ઠેકાણે નવા અગ્નિશમન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. કાંદિવલી, કાંજુરમાર્ગ, સાંતાક્રુઝ, ચેંબુર અને અંધેરીમાં આ નવા કેન્દ્ર બાંધવામાં આવશે. આ કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. મહાપાલિકા પ્રશાસક અને કમિશનર ભૂષણ ગગરાણીએ આ બાબતે ઘોષણા કરી હતી.
અગ્નિશમન દળનો દરજ્જો વધારવા મહાપાલિકા વિશેષ પ્રયત્ન કરે છે. નાગરીકોમાં અગ્નિસુરક્ષા વિશે જનજાગૃતિ કરવા અગ્નિશમન દળ તરફથી વિવિધ મોલ્સ, રાહદારીના ઠેકાણા, ચાલીઓ અને ઝૂપડપટ્ટી, ગગનચુંબી ઈમારતો અને હોસ્પિટલોમાં સમયે સમયે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગગનચુંબી ઈમારતોમાં અગ્નિશમન અને વિમોચન કાર્ય માટે 30 મીટર ઉંચી સીડીવાળું વાહન અને 5 મિની વોટર ટેંડર અગ્નિશમન દળના કાફલામાં દાખલ કરવામાં આવ્યા છે. 40 મીટર ઉંચુ ટર્ન ટેબલ લેડર વાહન ટૂંક સમયમાં કાફલામાં દાખલ થશે એમ તેમણે જણાવ્યું હતું.
અગ્નિશમન દળની ક્ષમતા અને સુવિધાઓ મજબૂત કરવાના કાર્યક્રમ અંતર્ગત ઠાકુર વિલેજ, કાંદિવલી પૂર્વ, એલબીએસ માર્ગ, કાંજુરમાર્ગ પશ્ચિમ એમ બે ઠેકાણે નવા અગ્નિશમન કેન્દ્ર બાંધવાનું કામ ટૂંક સમયમાં પૂરું થશે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw