September 19, 2024
11 11 11 AM
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры
પ્રાર્થનાસભા – મરણનોંધ
કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી
પ્રાર્થનાસભા – મરણનોંધ
થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ
છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા
24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ
અવસાન નોંધ
હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન
Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર
Breaking News
Топ 10 лучших онлайн казино 2024: рейтинг, бонусы и обзоры પ્રાર્થનાસભા – મરણનોંધ કચ્છી યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી પ્રાર્થનાસભા – મરણનોંધ થાણે-ખોપટમાં આગ લાગતાં આઇ ક્લિનિક, ફર્ટિલિટી સેન્ટરના 10 દર્દીઓનું રેસ્ક્યૂ છેંતરપિંડીનો આક્ષેપ કરી ફેસબૂક લાઈવ બાદ પ્રેમીની આત્મહત્યા 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મૃત્યુ અવસાન નોંધ હજારો ભાવિકોની હાજરીમાં લાલબાગચા રાજાનું 23 કલાકે વિસર્જન Health Tips – ચા છોડી દિવસમાં 3 વખત પીવો આ ડ્રિંક, આળસની સાથે કેન્સર જેવી આ 5 બીમારીઓ પણ રહેશે દૂર

રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક

મુંબઈના વિવિધ રસ્તાઓના સિમેંટ-કોંક્રિટીકરણના કામ ઝડપથી ચાલુ છે. આ કામનો દરજ્જો, ગુણવત્તા સારી રહે એ માટે આઈઆઈટી, મુંબઈની થર્ડ પાર્ટી તરીકે નિમણુક કરવામાં આવી છે. તેથી રસ્તાના વિકાસની અમલબજાવણી કરતા જરૂરી દરજ્જો, ગુણવત્તા જાળવવાની જવાબદારી આઈઆઈટીની રહેશે. આ કામ માટે મુંબઈ મહાપાલિકા અને આઈઆઈટી, મુંબઈ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યો હતો.

મુંબઈ મહાપાલિકાની હદમાં તમામ રસ્તાઓનું કોંક્રિટીકરણ કરવાના ઉદ્દેશથી પ્રથમ તબક્કામાં 392 કિલોમીટર તો બીજા તબક્કામાં 309 કિલોમીટર મળીને કલ 701 કિમી રસ્તાના કોંક્રિટીકરણ માટે વર્કઓર્ડર જારી કરવામાં આવ્યો છે. એમાં શહેર વિભાગ, પશ્ચિમ અને પૂર્વ ઉપનગરોના રસ્તાઓના કામનો સમાવેશ છે. સિમેંટ-કોંક્રિટીકરણના કામનો દરજ્જો, ગુણવત્તા સારી રહે એ માટે આઈઆઈટીની ગુણવત્તા નિયંત્રણ માટે થર્ડ પાર્ટી તરીકે નિમણુક કરવાનો નિર્ણય મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ લીધો છે. એ અનુસાર મહાપાલિકા અને આઈઆઈટી વચ્ચે એમઓયુ કરવામાં આવ્યો છે.

અતિરિક્ત મહાપાલિકા આયુક્ત અભિજિત બાંગર અને ગગરાણીની મુખ્ય ઉપસ્થિતિમાં એમઓયુ પર સહી કરવામાં આવી હતી. આ કરાર અંતર્ગત બીજા તબક્કામાં 5 પેકેજ (શહેર વિભાગ 1, પૂર્વ વિભાગ 1 અને પશ્ચિમ વિભાગ 3) અને પહેલા તબક્કાના એક પેકેજના કામની ગુણવત્તા તપાસ અને સંબંધિત કામ આઈઆઈટી મુંબઈ દ્વારા કરવામાં આવશે.

કરાર અંતર્ગતના કામ

રસ્તાઓની દેખભાળ, પુનર્રચના અને પુનર્વસન માટે યોગ્ય પદ્ધતિ નક્કી કરવા માટે જરૂરી સલાહ આપવી, દરેક પ્રકરણના આધારે જરૂરિયાત અનુસાર તપાસ કરવી, ગુણવત્તા તપાસના ધોરણ દરેક પ્રકરણની જરૂરિયાત અનુસાર તપાસવા, ગુણવત્તા આશ્વાસન માટે પરિક્ષણ કરવા અને ગુણવત્તા નિયંત્રણ પરિક્ષણ અહેવાલને તપાસવો, ટેકનિકલ એકાઉન્ટ રિપોર્ટ તૈયાર કરવો અને ગુણવત્તાની ખાતરી નિયમિતપણે પ્રકલ્પસ્થળેની મુલાકાત કરવી વગેરે બાબતનો સમાવેશ આઈઆઈટીના કામમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us