કોલાબા-બાન્દરા-સીપ્ઝ મેટ્રો-3 અંડરગ્રાઉન્ડ રૂટનો આરેથી બીકેસીનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં શરૂ થવાનો છે. આ મેટ્રોમાં પ્રવાસ કરવા મુંબઈગરાઓ ઉત્સુક છે. લગભગ 60 ટકા મુંબઈગરાઓ મેટ્રો-3 રૂટથી પ્રવાસ કરવા ઉત્સુક છે અને એમાંના મોટા ભાગના પ્રવાસીઓ અત્યારે રિક્ષા કે ટેક્સીથી પ્રવાસ કરે છે. પરિવહન સેવાની સલાહકાર સંસ્થા અર્થ ગ્લોબલે મેટ્રો-3ના ઉપયોગ બાબતે કરેલા સર્વેક્ષણમાંથી મુંબઈગરાઓની પસંદગી જાણવા મળી છે. અંડરગ્રાન્ડ મેટ્રો અવરજવર કરવા સૌથી ઝડપી વ્યવસ્થાનો વિકલ્પ હોવાથી અને એના લીધે પ્રવાસનો સમય બચવાનો હોવાથી આ નવા રૂટનો ઉપયોગ કરવા નાગરિકો વધુ ઉત્સુક છે.મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના માધ્યમથી 33.5 કિલોમીટર અંડરગ્રાઉન્ડ મેટ્રો-3 રૂટનું કામ કરવામાં આવી રહ્યું છે. આ રૂટ શરૂ થવામાં વિલંબ થયો છે. હવે ટૂંક સમયમાં આરેથી બીકેસીનો પ્રથમ તબક્કો શરૂ થશે એવી શક્યતા છે. નવા વર્ષમાં આખા રૂટ પરથી એટલે કે આરેથી કફ પરેડ પ્રવાસ કરી શકાશે. દરમિયાન આ રૂટ શરૂ થવાનું ધ્યાનમાં રાખતા મુંબઈ સ્થિત એક સંસ્થા તરફથી મેટ્રો-3 બાબતે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. અંધેરી પૂર્વ, વિલેપાર્લે, કાલિના, બાન્દરા પૂર્વ અને ધારાવી પરિસરના 1482 નાગરિકોને મેટ્રો-3 બાબતે સવાલ પૂછવામાં આવ્યા હતા. 60 ટકા નાગરિકોએ મેટ્રો-3નો ઉપયોગ કરશે એમ જણાવ્યું હતું.
રિક્ષા-ટેક્સી કરતા મેટ્રો સારી
અત્યારે રિક્ષા અને ટેક્સીથી પ્રવાસ કરનારાઓમાંથી 63 ટકા નાગરિકોને મેટ્રો-3નો વિકલ્પ પસંદ છે. અત્યારે લોકલ અને બેસ્ટની બસમાં પ્રવાસ કરનારાઓમાંથી 59 ટકા તો ફોર વ્હીલર, ટુ વ્હીલરથી પ્રવાસ કરનારાઓમાંથી 57 ટકા નાગરિકો મેટ્રો-3નો ઉપયોગ કરવા ઉત્સુક છે. એમાં 58 ટકા પુરુષ અને 57 ટકા મહિલાઓ છે. સંભવિત વપરાશકર્તાઓના વયજૂથ અનુસાર વિચાર કરીયે તો 18 થી 30 ટકા વયજૂથના 58 ટકા, 31 થી 45ની વયજૂથના 56 ટકા, 46 થી 60ની વયજૂથના 59 ટકા તો 60 વર્ષથી ઉપરની ઉંમરના 49 ટકા નાગરિકોએ મેટ્રો-3 સેવા શરૂ થશે ત્યારે એનો ઉપયોગ કરશે એમ જણાવ્યું છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw