દેશભરમાં ગણેશોત્સવની ધૂમ મચી છે, ત્યારે મુંબઈના વિશ્વ વિખ્યાત લાલબાગ ચા રાજાનો દરબાર ભરાઈ ચૂક્યો છે અને લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.
દસ દિવસ દેશભરમાં ગણેશોત્સવની ધૂમ મચી છે, વિશેષ કરીને મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવાય છે, ત્યારે મુંબઈના વિશ્વ વિખ્યાત લાલબાગ ચા રાજાના દર્શનાર્થે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. જેમાં સામાન્ય વ્યક્તિઓ સાથે સાથે ફિલ્મ સ્ટાર્સ, નેતા, મોટા મોટા અધિકારીઓ પણ લાલબાગ ચા રાજાના દર્શનાર્થે આવી રહ્યા છે.
લાલબાગ ચા રાજાનું મહત્ત્વ સૌ પ્રથમ લાલબાગ ચા રાજાની ગણેશોત્સવની શરૂઆત 1934માં કરવામાં આવી હતી, અહીંના લોકો કાયમ માટે માર્કેટ ચાલુ રહે તેવી મનોકામના સાથે 1934માં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યાર બાદ સતત 91 વર્ષથી અહીંયા ગણેશોત્સવ ભારે ઉત્સાહથી ઉજવવામાં આવે છે.
લાલબાગ ચા રાજા ગણેશ મંડળની કામગીરી લાલબાગ ચા રાજા ગણેશ મંડળ ફકત ગણેશોત્સવ પૂરતું સીમિત નથી, લાલબાગ ગણેશોત્સવ મંડળ સામાજિક કાર્યો સાથે પણ સંકળાયેલું છે. આ મંડળના સભ્યો દ્વારા મેડિકલ, વૈદ્યકીય તેમજ શિક્ષણ માટે કામ કરે છે અને ગણેશોત્સવના માધ્યમથી જે ભંડોળ ભેગું થાય છે તેમાંથી લાલબાગ સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા સમાજ સેવાના કાર્યો કરવામાં આવે છે.
લાલબાગ ચા રાજાને 20 કિલો સોનાનો મુકુટ પહોરાવાયો લાલબાગ ચા રાજાનો દરબાર સુવર્ણ મહેલ જેવો બનાવવામાં આવ્યો છે. ત્યારે ગણેશજીને સોનાના ઘરેણાંથી મઢી દેવામાં આવ્યા છે. જેના આ વર્ષે ગણેશજીના મુકિતની ચર્ચા ખૂબ થઈ રહી છે. આ મુકુટ લગભગ 16 કરોડના 20 કિલો સોનામાંથી બનાવવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી દ્વારા લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સામાજિક કાર્યોથી પ્રભાવિત થઈને 20 કિલો સોનાનું દાન કર્યું હતું.
રાજનેતા અને અભિનેતાઓના દર્શનાર્થે ઉમટ્યાં લાલબાગ ચા રાજાના દર્શનાર્થે દેશભરમાં વહેલી સવારથી ભાવિક ભક્તો લાંબી લાંબી લાઇનોમાં ઊભા રહીને કલાકોના ઇન્તજાર બાદ દર્શન કરી રહ્યા છે અને પોતાની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે લાલબાગ ચા રાજાના દર્શન માટે રાજનેતાઓ અને અભિનેતાઓ પણ ઉમટી રહ્યા છે. આજે સવારે ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યને પોતાના માતા-પિતા સાથે આવીને દર્શનનો લાભ લીધો હતો, જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નારવેકર પણ લાલબાગના રાજાના દર્શન કરવા પોતાની પત્ની સાથે આવી પહોંચ્યા હતા.
ઉદ્ધવ ઠાકરેએ પરિવાર સાથે બપોરની આરતી કરી લાલબાગ ચા રાજાનું ખૂબ જ મહત્ત્વ છે, જેને લઇને નેતા અભિનેતા લાલબાગના રાજાના દર્શન કરવા આવે છે. ત્યારે આજે પહેલા દિવસે બપોરની આરતી શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, તેમની પત્ની રશ્મિ ઠાકરે અને તેમના દીકરા આદિત્ય ઠાકરેએ કરી હતી.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw