મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈ, થાણે અને સમગ્ર રાજ્યમાં દહીંહંડીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. આ સંબંધમાં ગોવિંદા મંડળોની માગણી અનુસાર મહાયુતિ સરકારે 25 જુલાઈના એક શાસન બહાર પાડ્યો છે, જે હેઠળ મટકી ફોડવા માટે પિરામિડ રચતા ગોવિંદાઓની સુરક્ષા માટે ગોવિંદાઓને વીમા કવચ મળે તેવી માગણી કરાઈ હતી. તે મુજબ મુખ્ય મંત્રી એકનાથ શિંદેના નિર્દેશ દ્વારા 75 હજાર ગોવિંદાઓને 10 લાખથી લઈને અલગ અલગ વીમા રકમ જાહેર કરી છે. આ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા 75 હજાર ગોવિંદાઓને વીમા કવચ આપવામાં આવશે. તેમ જ દરેક ગોવિંદાને 10 લાખ સુધીનું વીમા કવચ મળશે, જેમાં જુદી જુદી ઈજાઓની શ્રેણી પ્રમાણે આકસ્મિક મૃત્યુ, 2 અંગો અથવા 1 આંખમાં અંધત્વ અથવા કાયમી અપંગત્વના કિસ્સામાં, સરકારે અલગ અલગ રકમનું વીમા કવચ પ્રદાન કર્યું છે.

રાજ્યમાં 75 હજાર ગોવિંદાઓ માટે સરકારે વીમા કવચ પૂરું પાડ્યું છે. વર્ષ 2023માં પણ રાજ્ય સરકારે ગોવિંદાને વીમા સુરક્ષા આપી હતી. આ માગણી પર નિર્ણય કરવા માટે ગોવિંદા મંડળોએ મુખ્ય મંત્રીનો આભાર વ્યક્ત ર્ક્યો હતો અને કહ્યું કે, દહીંહંડી ઉત્સવમાં લાખો ગોવિંદા ભાગ લે છે. પિરામિડ રચવા સમયે પડી જવા પર તેમને ઇજાઓ થાય છે. પોતાનો જીવ જોખમમાં મૂકીને તેઓ આનંદથી દહીહંડી ઉત્સવ ઊજવીને મહારાષ્ટ્રની પરંપરા જાળવી રાખે છે. તેમની સુરક્ષા માટે તેમના માટે વીમા કવચ મેળવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને વીમા કવચનુ વચન પરિપૂર્ણ કર્યો તેનો સંતોષ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us