ગુરુકુળ સ્કૂલ-કૉલેજના ટ્રસ્ટીઓના સહયોગથી વર્ષો આર્ટ્સ દ્વારા ઘાટકોપરમાં આવતી કાલે શનિવારે રમેશ પારેખની યાદમાં એક સાહિત્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નીતિન દેસાઈ (તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ) અને સાથી-કલાકારો મીતા મેવાડા, વર્ષા દેસાઈ અને ભક્તિ ગણાત્રા રમેશ પારેખની કૃતિઓને નાટ્યાત્મક રીતે રજૂ કરશે.
કાર્યક્રમમાં જાણીતા લેખક પ્રવીણ સોલંકી, અભિનેતા શરદ વ્યાસ, સનત વ્યાસ તથા ભાષાપ્રેમી સ્નેહલ મુઝુમદાર આમંત્રિત મહેમાનો તરીકે હાજર રહેશે. કાર્યક્રમમાં સર્વે કલાપ્રેમીઓને વિનામૂલ્ય આમંત્રણ છે. સ્થળ : ગુરુકુલ સ્કૂલ હૉલ, તિલક રોડ, ઘાટકોપર (ઈસ્ટ). સમય : સાંજે ૭.૩૦ વાગ્યે. વધુ માહિતી માટે ૭૦૬૯૮ ૮૮૦૦૦ નંબર પર સંપર્ક કરવો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw