કોસ્ટલ રોડ પર 5.25 કિમી લાંબું વિહાર ક્ષેત્ર (પ્રોમેનેડ), ચાર પાદચારી ભૂમાર્ગ અને સાઈકલ ટ્રેકનું આજે ગુરુવારે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસન હસ્તે લોકાર્પણ થશે, જે પછી 15 ઓગસ્ટથી તે જનતા માટે ખુલ્લો મુકાશે. આ સાથે 15 ઓગસ્ટથી કોસ્ટલ રોડ 24 કલાક ખુલ્લો મુકાશે.લોકાર્પણ પછી વિહાર ક્ષેત્ર અને ભૂમાર્ગ 15 ઓગસ્ટે સાંજે 4.30 વાગ્યાથી જનતા માટે ખુલ્લો મુકાશે, જ્યારે કોસ્ટલ રોડ 15 ઓગસ્ટે મધરાત પછી 24 કલાક ખુલ્લો રખાશે. હાલમાં કોસ્ટલ રોડ સવારે 7થી રાત્રે 12 સુધી ખુલ્લો રહે છે.

વિહાર ક્ષેત્રમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે. તેના પ્રવેશ ભૂમાર્ગ-4 ખાતે આવવા ભૂલાભાઈ દેસાઈ માર્ગ પર આકૃતિ પાર્કિંગ ઈમારતથી પ્રવેશ રહેશે. નં. 6 ખાતે આવવા વત્સલાબાઈ દેસાઈ ચોક (હાજી અલી જંકશન) ખાતેથી પ્રવેશ અપાયો છે. ભૂમાર્ગ-11 ખાતે આવવા ખાન અબ્દુલ ગફાર ખાન માર્ગ પર વરલી દુગ્ધશાળા સામે પ્રવેશ અપાયો છે. ભૂમાર્ગ-14 ખાતે આવવા વરલીના બિંદુમાધવ ઠાકરે ચોક ખાતે પ્રવેશ અપાયો છે. આ સર્વ ઠેકાણે રેમ્પની વ્યવસ્થા છે, જેથી સાઈકલ સવાર અને દિવ્યાંગો પણ આસાનીથી પ્રવેશ કરી શકશે. વિહાર ક્ષેત્ર પર સાઈકલ ટ્રેક કરાયો છે. બેસવાની વ્યવસ્થા પણ છે. વિહાર ક્ષેત્ર પાસે જવા ભૂ પાદચારી માર્ગમાં દિવ્યાંગો માટે રેમ્પ તૈયાર કરાયો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
