રાજ્યમાં મંગળવારે ધામધૂમથી ગણેશવિસર્જન થયું, પરંતુ તે દરમિયાન વિવિધ દુર્ઘટનામાં 24 કલાકમાં 16 ગણેશભક્તનાં મોત થયાં છે. છત્રપતિ સંભાજીનગરમાં મિત્રો સાથે ગણેશવિસર્જન માટે ગયેલા 21 વર્ષીય યુવાનનું ઘાણેગાવ ખાતે તળાવમાં ડૂબવાથી મોત થયું હતું. મૃતકને અભય ગાવંડે તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો. ધુળેમાં ચિતોડ ગામમાં ગણેશવિસર્જનનું સરઘસ જતું હતું ત્યારે ટ્રેક્ટર પરનો ડ્રાઈવર બદલી કરતી વખતે ટ્રેક્ટર નીચે આવતાં ત્રણ બાળકનાં મોત થયાં હતાં, જેમાં પરી બાગુલ, શેરા સોનાવણે, લડ્ડુ પવારનો સમાવેશ થતો હતો. આ દુર્ઘટનામાં છ જણ ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હતી.
ધુળેમાં જ ગણેશવિસર્જન દરમિયાન તળાવમાં ડૂબીને બે ભાઈનાં મોત થયાં હતાં. નાશિકમાં વાલદેવી નદીમાં બે યુવાનો ડૂબી ગયા હતા. વિરારમાં બુધવારે પરોઢિયે 3.30 વાગ્યે યુવાન ફિટ આવીને પાણીમાં ડૂબી ગયો હતો.
અમરાવતીમાં અચલપુર તાલુકાના ઈસાપુર ખાતે પૂર્ણા નગર નદીમાં બે જણ તણાઈ ગયા હતા, જ્યારે દર્યાપુર તાલુકાના દારાપુર ખાતે એક જણ ડૂબી ગયો હતો. અકોલાના મ્હૈસાંગમાં પૂર્ણા નદીમાં 16 વર્ષના કિશોર ગણેશ ગાયકવાડનું ડૂબીને મોત થયું હતું. અહમદનગરમાં વિળદ ગામના સાકળાઈ તળાવમાં બે યુવાનનાં ડૂબીને મોત થયાં હતાં.
ચંદ્રભાગા નદીમાં અહિલ્યા પુલ પરથી 50 ફૂટ નીચે પડતાં મોત થયું હતું. બુલડાણાના જલગામ જામોદમાં પથ્થરમારો થતાં એક યુવાન ઘાયલ થયો હતો. ભિવંડીના વંજારપટ્ટી નાકા ખાતે પથ્થરમારો થયો હતો, જે પછી તણાવ પેદા થયો હતો.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw